ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે આવેલ પારસી શેઠના 100 વર્ષ જુના પેલેસમાં ચોરી, તસ્કરો રૂ.1.36 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર

મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે.

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલો છે પારસી શેઠનો પેલેસ

  • 100 વર્ષ જુના પેલેસમાં તસ્કરો ત્રાટકયા

  • પેલેસની બારી તોડી અંદર પ્રવેશ કર્યો

  • ચાંદીના ઘરેણા મળી રૂ.1.36 લાખના માલમત્તાની ચોરી

  • હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Advertisment W3.CSS
ભરૂચના હાંસોટના ઈલાવ ગામમાં આવેલ પારસી શેઠના 100 વર્ષ જૂન  બંધ પેલેસને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો  થઈ ગયા હતા.
મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે.પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલા રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઇ જતા રહેતા  ઈલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલમાં હતું તે દરમિયાન ગત તારીખ-૨૯ જાન્યુઆરી રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.તસ્કરો પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.