ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મેઘરાજાને કરાયો તિરંગાનો શણગાર

આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. 

New Update

આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. 

Advertisment
ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુની પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિ સાથે શ્રધ્ધાભેર સ્થાપન કરાયું છે.આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે મેઘરાજાને  ત્રિરંગાના  વાઘા સાથે શણગાર કરાયો છે.છપ્પનીયા દુકાળના સમયમથી મેઘઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.સાતમ આઠમ નોમ અને દશમ એમ ચાર દિવસ વિવિધ કાર્યક્રમો યોજાય છે અને દશમના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે
Advertisment
Read the Next Article

ભરૂચ: દહેજના અદાણી પોર્ટ પરથી  કેપ્સુલ લઈને જતી ટ્રકની ચેઇન તૂટી, કેપસુલ માર્ગ પર પડતા ટ્રાફિકજામના દ્રશ્યો

દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો

New Update
Dahej Adani Port
ભરૂચના દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતાં કેપ્સુલ સીધા દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની  લાંબી લાઇન લાગી ગઈ હતી.લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
Advertisment
Advertisment