ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મેઘરાજાને કરાયો તિરંગાનો શણગાર

આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. 

New Update

આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. 

ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુની પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિ સાથે શ્રધ્ધાભેર સ્થાપન કરાયું છે.આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે મેઘરાજાને  ત્રિરંગાના  વાઘા સાથે શણગાર કરાયો છે.છપ્પનીયા દુકાળના સમયમથી મેઘઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.સાતમ આઠમ નોમ અને દશમ એમ ચાર દિવસ વિવિધ કાર્યક્રમો યોજાય છે અને દશમના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.