ભરૂચ: દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન, સમસ્યાનું નિરાકરણ ક્યારે?

ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે

New Update
  • ભરૂચમાં સ્થાનિકો મુશ્કેલીમાં

  • દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રસ્ત

  • શાકમાર્કેટ-મરછી માર્કેટના વેપારીઓને હાલાકી

  • વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

  • સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા માંગ

Advertisment
ભરૂચમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારીઓ વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા ૧૦થી વધુ દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે. જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે. નજીકમાં જ શાકમાર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઈન ઉભરાય છે. આ અંગે નગર સેવાસદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે.

આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment