New Update
/connect-gujarat/media/media_files/2024/11/14/PSXhfhhjveIqarCiHKsZ.png)
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમ અને "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા સંવાદ કાર્યક્રમ તા.૧૫/૧૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સ્વામી નારાયણ મંદિર નેત્રંગ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્યો રિતેષ વસાવા, ઇશ્વરસિંહ , અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.