ભરૂચ: કલેકટર કચેરી નજીકના આઇકોનીક રોડ પર જ ટ્રક ફસાઈ, રૂ.80 લાખના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ !

ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી

New Update
  • ભરૂચમાં વરસાદના આગમનથી જ સમસ્યા શરૂ

  • કલેકટર કચેરી નજીક બન્યો બનાવ

  • ટ્રક રોડની બાજુમાં ફસાઈ

  • રૂ.80 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે માર્ગનું નવીનીકરણ

  • માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ

ભરૂચમાં વરસાદના ટીઝરથી જ નગર સેવાસદનની પોલ ખુલી ગઈ છે. જિલ્લાભરનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એવી કલેકટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવાસદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આજ રોજ સવારના સમયે કલેકટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી. ભરૂચ નગર સેવાસદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા 80 લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઇડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાન રાજુ પંડિત નગર સેવાસદન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. રૂપિયા 80 લાખ જેટલી માતબર રકમના ખર્ચે કલેકટર કચેરી આસપાસના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું તે સહિતના પ્રશ્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે
કલેકટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવાસદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હજુ તો આખુ ચોમાસુ માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેકટર કચેરી બહારના જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર સામે કડક પગલા ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.