ભરૂચ : શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં દોડતી ટ્રકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો,ટ્રક ચાલકે ભૂલ સ્વીકારી માંગી માફી

ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં એક ટ્રક દોડતી હતી.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.જોકે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારીને લોકોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો.

New Update
aaa

ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં એક ટ્રક દોડતી હતી.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.જોકે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારીને લોકોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો.

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર આજે સવારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી એક ટ્રક ફુલ ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી હતી. ટ્રકના આ અચાનક અને ખતરનાક પ્રવેશથી વિસ્તારના શાકભાજી વેચતા વેપારીઓ અને અન્ય રસ્તા પર હળવા વાહનો ચલાવતા લોકોમાં એક ક્ષણે ભયનો માહોલ સર્જાયો હતો.સદનસીબે કોઈ જાનહાની ટળી હતી.

ટ્રકને સ્થિતિ સ્થાપિત કરીને ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હતા.સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંગ સાઈડ છોડીને સાચા માર્ગ પરથી પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની  માફી માંગતા વાત વાદવિવાદ વગર મામલો શાંત પડ્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ અને જાહેર માર્ગો પર યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાતને પ્રકાશમાં લાવી છે.