ભરૂચ: જંબુસરમાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો

ભરૂચના જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • ભરૂચના જંબુસરમાં આયોજન

  • તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • ભગવાન વિષ્ણુનું પૂજન કરાયુ

  • ભગવાનની શોભાયાત્રાનું પણ આયોજન

ભરૂચના જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચના જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારમાં મઢીવાળી ખડકી સ્થિત કૃષ્ણ મંદિરે તથા રામજી મંદિરે તુલસી વિવાહનો દિવ્ય પ્રસંગ સંપન્ન થયો હતો. કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ અને નકલંકદેવ ભગવાનનો વરઘોડો મંદિરેથી ડીજેના તાલે,ભક્તિ રસના સથવારે નીકળી નગરના ગણેશ ચોક, ઉપલી વાટ ,મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અને ભાવિ ભક્તો ઝુમી ઊઠ્યા હતા. કૃષ્ણ મંદિર ખાતે મનનભાઈ દીપકભાઈ પટેલ તથા આતિશભાઈ દીપકભાઈ પટેલ અને રામજી મંદિર ખાતે પ્રજ્ઞેશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલ યજમાન પદે બિરાજી ભગવાન નકલંદેવ તથા લાલજી મહારાજની પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. 
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.