ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો

  • ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે કરાયુ આયોજન

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • ભાજપના આગેવાનોએ આપી હાજરી

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન નવી ઉર્જા,નવીન ઉમંગ, અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભરુચની રાજપૂત છાત્રાલય ખાતે  વાગરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહમિલન સમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સ્નેહમિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓ કરવા અગ્રણીઓએ આહવાન કર્યું હતું
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે