ભરૂચ : ઝઘડીયાના ઇન્દોર ગામે ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદે દબાણને દૂર કરવા ગ્રામજનોનું તંત્ર આવેદન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોને મોટી સમસ્યા

  • ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણનો કર્યો આક્ષેપ

  • ગેરકાયદે રસ્તો દૂર કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ

  • કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય

  • પશુધનને ચરવા માટે એકમાત્ર ગૌચરની જગ્યા : ગ્રામજન

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ગામના ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી હતી. જેમાં સર્વે નં. 287 અને 288વાળી જમીન પર ગૌચરની જગ્યા આવેલ છે. આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતથી બન્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. એટલું જ નહીંઆ રસ્તા પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે. જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. આ રસ્તા પર શાળા અને રોહિતવાસ પણ આવેલ છેજ્યાં બાળકો અવર જવર કરતા હોયજેથી અકસ્માત પણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આજ ગૌચરની જગ્યા છે. પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પુરતો મળી રહેતો નથીત્યારે આ ગેરકાયદેસરના માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી છે.

 

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.