ભરૂચ : ઝઘડીયાના ઇન્દોર ગામે ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદે દબાણને દૂર કરવા ગ્રામજનોનું તંત્ર આવેદન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોને મોટી સમસ્યા

  • ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણનો કર્યો આક્ષેપ

  • ગેરકાયદે રસ્તો દૂર કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ

  • કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય

  • પશુધનને ચરવા માટે એકમાત્ર ગૌચરની જગ્યા : ગ્રામજન

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ગામના ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી હતી. જેમાં સર્વે નં. 287 અને 288વાળી જમીન પર ગૌચરની જગ્યા આવેલ છે. આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતથી બન્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. એટલું જ નહીંઆ રસ્તા પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે. જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. આ રસ્તા પર શાળા અને રોહિતવાસ પણ આવેલ છેજ્યાં બાળકો અવર જવર કરતા હોયજેથી અકસ્માત પણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આજ ગૌચરની જગ્યા છે. પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પુરતો મળી રહેતો નથીત્યારે આ ગેરકાયદેસરના માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રતની પુર્ણાહુતી, કુંવારીકાઓએ 5 દિવસ ઉપવાસ રાખી કરી આરાધના

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગૌરીવ્રત- જયા પાર્વતી વ્રતની પુર્ણાહુતી

  • શિવાલયોમાં જોવા મળી ભીડ

  • કુંવારીકાઓએ દેવાધિદેવ મહાદેવનું કર્યું પૂજન

  • મનગમતો ભરથાર મેળવવા કરવામાં આવે છે વ્રત

  • ગૌરી માંનુ કરાયુ પૂજન અર્ચન

ભાવીનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતની આજે પુર્ણાહુતી થઈ છે ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં કુવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરીવ્રતની આજે પુર્ણાહુતી થઈ છે. ગૌરીએ દેવી પાર્વતીનું જ નામ છે ત્યારે નાની બાળાઓ ગૌરીમાંનું પૂજન કરીને 5 દિવસ અલૂણાં એટલે કે, મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે.આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે. જેમાં તે શિવપાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજે ગૌરીવ્રતની પુર્ણાહુતી થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુવારીકાઓએ શિવજી અને ગૌરીમાંનુ પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને
આરાધનામાં લીન બન્યા હતા.