ભરૂચ: મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું,પ્રશ્નોના નિરાકરણની માંગ

ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.

New Update
  • મજદૂર સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વિવિધ પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું

  • બજેટમાં યોગ્ય જાહેરાત ન કરાય હોવાના આક્ષેપ

  • સમાન વેતન અને સામાજિક કવચની માંગ

  • મોટી સંખ્યામાં સભ્યો જોડાયા

Advertisment
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કર્યા હતા આ બાદ પણ  એક પણ જાહેરાત નથી કરવામાં આવી એના થી ઊલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને 551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો, એપીએસ 95 પેન્શન ઓછામાં ઓછું 5,000 આપવો, ઇપીએફ વેતન મર્યાદા ₹30,000 કરવી અને  ઇ એસ આઇ સી વેતન સીમા રૂપિયા ૪૨ હજાર કરવાની માંગ કરવામાં આવી છે
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment