ભરૂચ : ઝાડેશ્વર નદી કિનારે બેસેલા યંગ કપલને થયો નકલી પોલીસનો ભેટો,ભેજાબાજની  LCBએ કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો

New Update
  • ઝાડેશ્વર શીતળા માતા મંદિર પાસે બની ઘટના 

  • નદી કિનારે બેસેલા યુગલને નકલી પોલીસનો થયો ભેટો

  • પોલીસ હોવાની ઓળખ આપી યુગલને આપી દમદાટી

  • રૂપિયા પડાવી મોપેડ લઈને ફરાર થયો ભેજાબાજ

  • LCB પોલીસે નકલી પોલીસમેનની કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો,જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું,તે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા,જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા,અને યુવકે તેને રૂપિયા 200 આપ્યા હતા,પરંતુ વાત આટલે થી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માગ્યું હતું,અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો.

જોકે સમય અવધિ વીત્યા બાદ પણ અજાણ્યો શખ્સ પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,તે અરસામાં ભરૂચ LCB પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર CCTV સર્વેલન્સની તપાસમાં હતો,તે દરમિયાન મુલદ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેડ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી,અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ભેજાબાજ આરોપી રાજા બાબુભાઇ બાંભણીયાની ધરપકડ કરી હતી,અને જ્યુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: બિસ્માર માર્ગના પ્રશ્ને આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ખાડામાં બેસી વિરોધ નોંધાવતા કોંગીજનોની અટકાયત

ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

New Update
  • ભરૂચના આમોદમાં માર્ગો બન્યા બિસ્માર

  • કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન

  • ખાડામાં બેસી વિરોધ નોંધવાયો

  • પોલીસે કરી અટકાયત

  • માર્ગના સમારકામની કરાય માંગ

ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં. 64ની બિસ્માર હાલત અને ખાડાઓથી ભરેલા રસ્તાને લઈને આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે રસ્તા ઉપર ખાડામાં બેસીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે કમળના બેનરને ખાડામાં રોપ્યું હતું.
આ આંદોલનમાં જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા હતા. વિરોધ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે આમોદ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોંચીને સંજય સોલંકી સહિત કેટલાક કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે ચીમકી ઉચ્ચારી કે જો રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે સમારકામ કરાશે.