ભરૂચ : ઝાડેશ્વર નદી કિનારે બેસેલા યંગ કપલને થયો નકલી પોલીસનો ભેટો,ભેજાબાજની  LCBએ કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો

New Update
  • ઝાડેશ્વર શીતળા માતા મંદિર પાસે બની ઘટના 

  • નદી કિનારે બેસેલા યુગલને નકલી પોલીસનો થયો ભેટો

  • પોલીસ હોવાની ઓળખ આપી યુગલને આપી દમદાટી

  • રૂપિયા પડાવી મોપેડ લઈને ફરાર થયો ભેજાબાજ

  • LCB પોલીસે નકલી પોલીસમેનની કરી ધરપકડ

Advertisment

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો,જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું,તે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા,જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા,અને યુવકે તેને રૂપિયા 200 આપ્યા હતા,પરંતુ વાત આટલે થી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માગ્યું હતું,અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો.

જોકે સમય અવધિ વીત્યા બાદ પણ અજાણ્યો શખ્સ પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,તે અરસામાં ભરૂચ LCB પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર CCTV સર્વેલન્સની તપાસમાં હતો,તે દરમિયાન મુલદ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેડ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી,અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ભેજાબાજ આરોપી રાજા બાબુભાઇ બાંભણીયાની ધરપકડ કરી હતી,અને જ્યુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment