New Update
-
ભરૂચના દાંડિયા બજારમાં બન્યો હતો બનાવ
-
મહિલાની કરવામાં આવી છેડતી
-
મહિલાના ઘરે યુવાને હલ્લો મચાવ્યો
-
પોલીસે આરોપી યુવાનની કરી ધરપકડ
-
યુવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય
ભરૂચના દાંડિયા બજાર મંદિર નજીક રહેતી મહિલાની છેડતી કરનાર યુવાનની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના નર્મદા કિનારે દાંડિયાબજાર ભૃગુઋષી શનિદેવ મંદિર પાસે રહેતી મહિલાના 24 વર્ષ પહેલાં છૂટાછેડા થતાં એકલી રહેતી હતી.
22 તારીખના રાત્રીના સમયે તેઓ તેમના ઘરમાં નિંદર માણી રહ્યા હતા તે દરમ્યાન મોડી રાતે કોઇ શખ્સે તેમના ઘરની લોખંડની જાળીનો દરવાજો જોરજોરથી ખખડાવા લાગ્યો હતો જેથી તેમણે લાઇટ ચાલુ કરી અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
જેના પગલે મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરતાં પોલીસ આવી પહોંચતા શનિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવય હતી જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી શનિન દેવીપૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories