ભરૂચ : વાલિયા તાલુકામાં ખેતરમાં પાક રક્ષણ માટે લાગેલા વીજ વાયરથી કરંટ લાગતાં યુવકનું મોત

ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી

New Update
Electric Shock

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છેજ્યાં ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા ગત તા. 31 ડિસેમ્બર-2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. 2 દિવસ બાદ તા. 2 જાન્યુઆરી-2025એ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજ કરંટ જણાવવામાં આવ્યું હતું.

સમગ્ર મામલેLCB પોલીસ મથકના પીઆઈ એમ.પી.વાળાની આગેવાની હેઠળની તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દોલતપુર ગામના દેવેન્દ્ર શામજી ક્યાડા અને ગંભીર બુધિયા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કેતેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો.

આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો હતોઅને ત્યારબાદ રાત્રે ખાતરની કોથળીમાં ભરીને બાઈક પર સુકવાણા ગામની સીમમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીઓને વાલીયા પોલીસ મથકે સોંપ્યા છેજ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.