ભરૂચ માળખાકીય સુવિધાથી વંચિત સ્થાનિક મહિલાઓનો ઝાડેશ્વર કચેરીએ હલ્લાબોલ

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.

New Update

ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત 15થી વધુ સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે. ઝાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી 15થી વધુ સોસાયટીઓના સ્થાનિકો હાલ નર્કાગારની સ્થિતિમાં આવી ગયા છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસમોટો ટેક્સ પણ અહીની સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે. પરંતુ સ્થાનિકોને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી તાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કેઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી ટેક્સ પણ વસૂલવામાં આવે છે. આ સાથે ચૂંટણી દરમિયાન હાથ જોડી વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે. પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈપણ સુવિધાઓ આપવામાં આવતી નથી. હાલ 15થી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ-રસ્તાગટરલાઇન સહિતના મુદ્દે હલ્લાબોલ કરી ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરીને ગજવી મુકી હતી. જોકેહવે આવનારા સમયમાં રોડ-રસ્તા સહિતની સુવિધાઓ આપવામાં નહીં આવે તો વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે.

ઝાડેશ્વર ગામ રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છેતો ઝાડેશ્વર ગ્રામ પંચાયતના હદમાં આવતી સોસાયટીઓમાં કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો, તેવો પણ લોકના મનમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસના 2 ભાગ જોવા મળી રહ્યા છે. જેમાં ગામ વિસ્તારમાં રોડ-રસ્તા છેતો ગામની સોસાયટીઓમાં રોડ-રસ્તા તૂટેલા જોવા મળ્યા છે. આ મામલે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કેસોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજુર થયા હતા. પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે, RCC રોડ બનાવામાં આવેજોકેતે પણ મંજૂર થઈ ગયો છેત્યારે આવનાર સમયમાં નવા RCC રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે તેવી ગ્રામ પંચાયતના વહીવટદારે બાહેંધરી આપી હતી.

Latest Stories