અંકલેશ્વર : શ્રી શ્યામ મંદિરના શીલા પૂજન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય, 700 યુનિટ રક્ત એકત્ર કરાયું...

માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું

New Update
  • અગ્રવાલ પરિવાર દ્વારા શ્રી શ્યામ મંદિરનું કરાશે ભવ્ય નિર્માણ

  • શ્રી શ્યામધામના શીલા પૂજન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

  • શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાતાઓના રક્તદાન થકી 700 યુનિટ રક્ત એકત્ર કરાયું

  • અગ્રવાલ પરિવાર સહીતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા

Advertisment

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ જય અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું રહ્યું છેત્યારે આ મંદિરના શીલા પૂજન નિમિત્તે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા ગામ નજીક જય અંબે એસ્ટેટ ખાતે શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશેત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું હતું.

શીલા પૂંજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને સુરતની સમર્પણ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચના હોદ્દેદારો અને સભ્યો સહીત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જેમાં રક્તદાન થકી 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ પરિવાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment