New Update
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના દહેજ રોડ પર ગતરોજ ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દહેજમાં આવેલી એસઆરએફ કંપનીના કર્મચારીઓને ભરૂચથી લઈને જતી ખાનગી લક્ઝરી પર અટાલી ગામ નજીક એકાએક પલટી મારી ગઈ હતી. બસના ચાલકે અચાનક જ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી. બસમાં સવાર કર્મચારીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા.
બસ એક તરફ નમી ગઈ હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કુદયા હતા.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.આ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્ર વહેલીતકે માર્ગનું સમારકામ કરાવે એટલે અત્યંત જરૂરી છે