અંકલેશ્વર: GIDCના કમલ ગાર્ડન નજીક કારમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો..

New Update
  • અંકલેશ્વરમાં ફરીવાર આગનો બનાવ

  • કમલમ ગાર્ડન નજીક કારમાં આગ

  • કારચાલકનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  • લોકોના ટોળા થયા એકત્રિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન નજીક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આ બનાવવામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો

ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવો થયો હતો.

 જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.સીએનજી કારમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વરમાં વાહનો તેમજ કંપનીઓમાં આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે જે ચિંતાજનક કહી શકાય.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.