ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર વાહનો પર "સેફટી ગાર્ડ" લગાડયા...

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા

New Update
  • જિલ્લા ટ્રાફિક પોલીસ અને સામાજિક કાર્યકરો દ્વારા આયોજન

  • ઉત્તરાયણમાં લોકોની સુરક્ષા-સલામતી માટે આગોતરું આયોજન

  • ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ (તાર)નું વિતરણ

  • વાહનો પર સેફટી ગાર્ડ તાર લગાડી આપવામાં આવ્યા

  • ઉત્તરાયણમાં લોકોને સલામતી અને સુરક્ષા રાખવા અપીલ કરી

Advertisment
ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહનચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે.
ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ પતંગની ધારદાર દોરીથી થતા અકસ્માતોન કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે ટુ-વ્હિલર વાહનચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા.
જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment