ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ટુ-વ્હીલર વાહનો પર "સેફટી ગાર્ડ" લગાડયા...

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા

New Update
  • જિલ્લા ટ્રાફિક પોલીસ અને સામાજિક કાર્યકરો દ્વારા આયોજન

  • ઉત્તરાયણમાં લોકોની સુરક્ષા-સલામતી માટે આગોતરું આયોજન

  • ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ (તાર)નું વિતરણ

  • વાહનો પર સેફટી ગાર્ડ તાર લગાડી આપવામાં આવ્યા

  • ઉત્તરાયણમાં લોકોને સલામતી અને સુરક્ષા રાખવા અપીલ કરી

Advertisment W3.CSS
ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહનચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે.
ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ પતંગની ધારદાર દોરીથી થતા અકસ્માતોન કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે ટુ-વ્હિલર વાહનચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા.
જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.