અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ખાડામાં કન્ટેનર ફસાયુ,ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો 

New Update

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો 

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજરોજ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.જેના કારણે વાહનોની લાંબી જાતરો જોવા મળી હતી.રોજિંદા ટ્રાફિકને પગલે રાજપીપલા ચોકડીથી સારંગપુર, દઢાલ, જી.આઈ.ડી.સી.અને જીતાલી ગામના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.જ્યારે અંકલેશ્વર હાઇવે પર વર્ષા હોટલ પાસે ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.હાલ અંકલેશ્વર હાઇવે ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો રહ્યો છે.
Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.