અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ખાડામાં કન્ટેનર ફસાયુ,ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો 

New Update

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ખખડધજ માર્ગને પગલે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો 

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જોડતો માર્ગ બિસ્માર અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજરોજ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે મસમોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.જેના કારણે વાહનોની લાંબી જાતરો જોવા મળી હતી.રોજિંદા ટ્રાફિકને પગલે રાજપીપલા ચોકડીથી સારંગપુર, દઢાલ, જી.આઈ.ડી.સી.અને જીતાલી ગામના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.જ્યારે અંકલેશ્વર હાઇવે પર વર્ષા હોટલ પાસે ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.હાલ અંકલેશ્વર હાઇવે ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો રહ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.