અંકલેશ્વર ONGC ખાતે ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય

અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે.

New Update

અંકલેશ્વર ONGC ખાતે ઉત્સવોનો ત્રિવેણી સંગમ 

ગુજરાતી,બંગાળી અને ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઉત્સવોનું આયોજન 

ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય 

ગરબા,દુર્ગાપૂજા અને રામલીલાની ઉજવણી 

આ સંગમમાં તરબોળ બનતા ઉત્સવ પ્રેમીઓ 

અંકલેશ્વરની ONGC કોલોનીમાં ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય નવરાત્રી મહોત્સવમાં જોવા મળી રહ્યો છે.ગુજરાતીઓનો ગરબોઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલા-રાવણ દહન તેમજ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. ઔદ્યોગિક નગરી અનેક સમાજનાં લોકો માટે કર્મભૂમિ પણ છે. ONGC ખાતે ફરજ બજાવતા વિવિધ પ્રાંતનાં લોકો તેમના પરંપરાગત ઉત્સવો ઉજવવા વતન જઇ શકતા નથી,પરંતુ તેઓ અંકલેશ્વરમાં તેમના પરંપરાગત ઉત્સવો મનાવી રહ્યા છે.નવરાત્રી મહોત્સવમાં ONGC  કોલોનીમાં ગુજરાતીબંગાળી અને ઉત્તર ભારતીય સમાજનાં ઉત્સવોનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે.તો ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલા અને કોલોની ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉત્સવોના ત્રિવેણી સંગમના ભક્તિરસ સાગરમાં ઉત્સવપ્રેમી તરબોળ બની રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.