અંકલેશ્વર: મહિલા અત્યાચારના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 17 વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં ફરાર આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 17 વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં ફરાર આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપી અલ્લાબક્ષ ઉર્ફે વસંત યુસુફ સમમા ગુમાનદેવ બ્રિજ પાસે તબેલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ વર્ષ 2008માં અંકલેશ્વર શહેર ડિવિઝન એ ડિવિઝન પોલીસ મથકે મહિલા અત્યાચાર બાબતનો ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #Accused arrested #women atrocities
Here are a few more articles:
Read the Next Article