અંકલેશ્વર: ગોવાથી દારૂ ભરી આવેલા 4 કન્ટેનરો પૈકી એક કન્ટેનરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યુ, રૂ.1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત

ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી  દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

  • અંકલેશ્વર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

  • રૂ.1.27 કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો

  • ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર

અંકલેશ્વર નજીક NH 48 પરથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલ કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી રૂ.1.27 કરોડની કિંમતનો વિદેશી દારૂમો જથ્થો જપ્ત કર્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર  નંબર KA-17-AA-8799માં ઇંગ્લીશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઇ રહ્યું છે જેના આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમ્યામ બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી  દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનર ચાલક અને રાજસ્થાનમાં રહેતા જગદીશ બિશનોઈની ધરપકડ કરી હતી.પોલીસે 5 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા 5 કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતોમઆ અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી ઝડપી પાડ્યું હતું તો અન્ય બે કન્ટેનરો નવસારી નજીકથી ઝડપાયા હતા ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.