ભરૂચ : નવસારીથી સૌરાષ્ટ્ર તીર્થ યાત્રાએ નીકળેલા સાયકલ યાત્રીનું તવરા ગામે સ્વાગત કરાયું

નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update

નવસારી-એંધલથી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી તીર્થ યાત્રાનું આયોજન

વિવિધ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળ્યા લોક સાહિત્યકાર

લોક સાહિત્યકાર નરેશ આહીર ભરૂચના તવરા ગામે પહોચ્યા

તવરા ગામના પાંચ દૈવી મંદિરે લોક સાહિત્યકારે કર્યા દર્શન

આહીર સમાજ દ્વારા નરેશ આહીર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ યાત્રા લઈને નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દૈવી મંદિરે આવી પહોંચતા જ તેઓએ પાંચ દૈવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નરેશ આહીર છેલ્લા 12 વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર વિરપુરચોટીલારાજપરાદ્વારકાસોમનાથ તેમજ ભુજના માતાના મઢ સહિતના મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છેત્યારે નવસારીના એંધલ ગામથી સાયકલ પર 12 દિવસમાં 1300 કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલ વીર નરેશ આહીરનું તવરા ખાતે આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.