New Update
ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 5000 તિરંગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
"હર ઘર તિરંગા" અભિયાનના ભાગરૂપે ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેકટર પ્રવીણ કાછડીયા અને શાળા પરિવાર દ્વારા 5000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,કલેકટર તુષાર સુમેરા, અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટૉદરિયા, ભરૂચ જિલ્લાશિક્ષણાધિકારી, સ્વાતિબેન રાઉલ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને તિરંગાનું વિતરણ કરાયુ હતું