શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં મંદીનો માહોલ
નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ છવાયો
કેટલાક ગ્રાહકો મોંઘા ફટાકડા ખરીદવાનું ટાળી રહ્યા છે : વેપારી
છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની વેપારીઓને આશા જાગી
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.
ભરૂચ શહેર તથા જીલ્લામાં આ વર્ષે દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું કે, ફટાકડાના ભાવમાં થયેલા વધારાને કારણે ખરીદી પર સીધી અસર પડી છે. ગ્રાહકો મોંઘા ફટાકડા ખરીદવાનું ટાળી રહ્યા છે. જેના પરિણામે દુકાનોમાં ઘરાકી ઘટી છે. તો બીજી તરફ, ઘર સજાવટના સામાન, રંગોળી, દિવડા સહિત નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.