ભરૂચ:પૂર્વ MLA મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ !

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

New Update

ભરૂચ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મહેશ વસાવાના પુત્રએ યુવતીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ

પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા

સામે યુવતીએ માતા પિતા સામે નોંધાવી ફરિયાદ

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડીયા તાલુકાનાં ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.