ભરૂચ:પૂર્વ MLA મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ !

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

New Update

ભરૂચ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મહેશ વસાવાના પુત્રએ યુવતીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ

પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા

સામે યુવતીએ માતા પિતા સામે નોંધાવી ફરિયાદ

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડીયા તાલુકાનાં ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.
Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.