અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ગરમીના કારણે ઘઉંના પાક પર વિપરીત અસર, ઉત્પાદનમાં ઘટાડો !

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે

New Update
  • અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ઘઉંનું વાવેતર

  • મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરાયુ

  • ગરમીની ઘઉંના પાક પર વિપરીત અસર

  • તાપમાન વધતા ઘઉંનું ઉત્પાદન ઘટ્યું

  • ગરમી વહેલી શરૂ થતા ઘઉંનો પાક ઘટ્યો !

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે

ગયા વર્ષે ગરમીએ ઘઉંનો સોથ વાળી દીધો હતો. આ વખતે ઘઉંમાં ખેડૂતોને બમ્પએ ઉત્પાદન મળશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ વર્તમાન હવામાનની જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે.અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મોટાપ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે પરંતુ ગરમી વહેલી શરૂ થવાના કારણે ઘઉંના પાક પર તેની અસર જોવા મળી રહી છે.ઉકાઈ જમણા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સમયસર પાણી તો મળી રહ્યું છે પરંતુ મૌસમના બદલાતા મિજાજના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસાવી છે.નિષ્ણાતોના મતે  ફેબ્રુઆરી માસના પાછલા દિવસો જ ગરમ રહ્યા હતા જેના કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડી છે.તાપમાનમાં ફેરફારને કારણે જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને ફેબ્રુઆરી મહિનો સિઝન પ્રમાણે સૌથી ગરમ બન્યો છે તેની અસર પાક પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.