અંકલેશ્વર: સગા પુત્રએ જ માતાની ઘાતકી હત્યા કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો.
આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ પર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા.આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ માટે ખસેડ્યો હતો.આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories