ભરૂચમાં બીએનએસ ગૃપે ગણેશ ભક્તોને કરાવ્યા અયોધ્યા રામમંદિરના દર્શન

ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update

ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આઈનોક્સ નજીક ભરૂચ નિર્માણ સંઘ એટલે કે બીએનએસ ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી અલગ અલગ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે ખાસ બંગાળના કારીગરો દ્વારા 30 લાખના ખર્ચે ફાઇબરનું શ્રી રામના મંદિરનું નિર્માણ કર્યું છે.અયોધ્યાની જેમ જ રામ મંદિરની થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરતા હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.ભક્તોની સુવિધા માટે ફાઇબર સેફ સેફ્ટી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.