ભરૂચ જિલ્લામાં મેઘમહેર, નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચના નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

New Update

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.ભરૂચના નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે જામતું જાય છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં 1.75 ઈંચ, આમોદમાં 1 ઇંચ,જંબુસરમાં 1.5 ઇંચ, ઝઘડીયામાં 1.75 ઇંચ, નેત્રંગમાં 7.12 ઇંચ,ભરૂચમાં 1 ઇંચ, વાગરામાં એક ઈંચ, વાલિયામાં 4 ઇંચ અને હાસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.ટ્રાયબલ વિસ્તાર નેત્રંગમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.