અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે “વિજકાપ”

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

New Update
Power

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીંજેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આવતીકાલે તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા અંકલેશ્વર શહેરમાં 22 KV બાપુનગર ફીડર નં. 12નું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી કુબેર ફાર્મજુબી ગેસ્ટ હાઉસટ્રેડ સેન્ટરજલારામ પેટ્રોલ પંપ વિસ્તારબાપુનગર વિસ્તારરામનગરરઘુવીર સોસાયટીપુષ્પકુંજ સોસાયટીઅક્ષર બંગલોઝમુક્તિધામ સોસાયટીશ્રીરામ નગરહરિનગર બંગલોઝવિરાટ નગરભદ્રલોક સોસાયટીમીરા ઓટો ગેરેજ વિસ્તાર અને નિરાંત નગર સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી બંધ રહેશે. જોકેવીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. 

Latest Stories