અંકલેશ્વર: સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ

રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો  પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

સેવા સેતુના દશમાં તબક્કાનો પ્રારંભ

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

વિવિધ સરકારી સેવાનો લાભ સ્થળ પર જ અપાયો

આગેવાનો દ્વારા કરાયુ વૃક્ષારોપાણ

અંકલેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો  પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.સેવાસેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર,સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોની રજુઆતોનો ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે.સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપાણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત,કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા,વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.