અંકલેશ્વર હાંસોટ પંથકમાં પાછોતરા વરસાદમાં ડાંગરના પાકને નુકસાન,ખેડૂતો અદ્યકચરો પાક વેચવા બન્યા મજબુર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.

New Update

અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદે સર્જી મુશ્કેલી

હજારો હેક્ટરમાં પથરાયેલા ડાંગરના પાકને નુકસાન 

અદ્યકચરો પાક ખેડૂતો વેચવા મજબુર બન્યા 

ખેડૂતોનો આર્થિક નુકસાન ઘટાડવાનો પ્રયાસ

આ વર્ષે ભાવમાં પણ થયો છે ઘટાડો 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પવનના જોર સાથે વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં વિનાશ વેર્યો છે.આ પંથકમાં ખાસ કરીને ખેડૂતો ડાંગરના પાકની ખેતી મોટા પ્રમાણમાં કરે છે,હજારો હેકટર જમીનમાં તૈયાર કરેલો પાક પર વરસાદી આફતમાં નુકસાન છવાઈ ગયું છે.એક તરફ જ્યાં ખેડૂતો ટૂંક સમયમાં પાક લણવા માટેની તૈયરીઓ કરી રહ્યા હતા,ત્યાં બીજી તરફ પવનના જોર સાથે વરસેલા વરસાદે ઉભા પાકને તહસનહસ કરી નાખ્યો હતો,જેના કારણે ખેડૂતોએ શ્રમશક્તિ અને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો,જયારે સંપૂર્ણ નુકસાની માંથી બચવા માટે ખેડૂતો દ્વારા અદ્યકચરો તૈયાર થયેલો પાક લણીને વેચવા માટે મજબુર બન્યા છે,ગત વર્ષની સરખામણીમાં વર્તમાન ભાવમાં પણ ઘટાડો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.