ભરૂચ: અયોઘ્યાનગરના સંતોષી માતાના મંદિરે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

ભરૂચના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાય હતી

New Update
  • ભરૂચના લિંક રોડ પર કરાયુ આયોજન

  • સંતોષી માતાના મંદિરે શિવ મહાપુરાણ કથાનો પ્રારંબ

  • પોથી યાત્રાનું પણ આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • તા.19 નવેમ્બર સુધી ચાલશે કથા

ભરૂચના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાય હતી
ભરૂચના લીંક રોડ પર આવેલ સંતોષી માતાના મંદિર પાસે તા.11 થી તા.19 નવેમ્બર સુધી  બપોરના 2:30 થી 5:30 કલાક સુધી કથાકાર ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા)ના શ્રીમુખે  શ્રી શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.ત્યાર બાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ જોડાય કથા શ્રવણનો લાભ લીધો હતો.
#CGNews #temple #Mataji #Shiv Mahapuran #Ayodhyanagar #Bharuch #Katha
Latest Stories
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક...

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.