ભરૂચ : જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના માર્ગનું વરસાદના કારણે રોકાયેલું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • માર્ગ બન્યો રાજકારણીઓ માટે આક્ષેપબાજીનો અખાડો

  • જંબુસરમાં વરસાદના કારણે રોડનું કામ રખાયું હતું બંધ

  • વરસાદ વચ્ચે રોડના કામનો વિડીયો થયો હતો વાયરલ

  • ભાજપ અને કોંગ્રેસ પક્ષએ કર્યા હતા સામસામે આક્ષેપ

  • વરસાદના કારણે રોકાયેલું માર્ગનું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જોકેવરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઈજનેરને સુરતRCM દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે જંબુસર-આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા. જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

તો બીજી તરફકોંગ્રેસ પક્ષએ પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેજંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી હતી. પરંતુરાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાય હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.