ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો

ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત.

New Update
  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળ્યો

  • હોળાષ્ટક પૂર્ણ થતા જ કાર્યભાર સંભાળ્યો

  • ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન

  • કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો

  • ભાજપના સાંસદ,ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું,અને આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યભાર સંભાળી રાષ્ટ્ર અને ભરુચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોળાષ્ટક પૂર્ણ થતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતાની જવાબદારી સંભાળે તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય,પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા ઉપરાંત પ્રદેશ તાલુકા-શહેરનાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.