ભરૂચ : જંબુસરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી પોલીસે યોજી શાંતિ સમિતિની બેઠક...

આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આગામી તા. 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તો બીજી તરફહિન્દુ સમાજ દ્વારા તા. 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથક ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકમાં જંબુસર પોલીસ મથકનાPI એ.વી.પાણમિયા, PSI એ.બી.રાઠવા સહિત મોટી સંખ્યામાં જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)