અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

New Update
  • આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ

  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • વિવિધ શિવાલયોમાં ઉજવણી કરાય

  • ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વરના અતિ પૌરાણિક રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર સ્થિત નર્મદેશ્વર મહાદેવ ,રત્નેશ્વર મહાદેવ મંદિર ,અંતરનાથ મહાદેવ મંદિર., ચૌટાનાકા નજીક આવેલા એક લિંગનાથ મહાદેવ મંદિર સહીતના શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી નિમિત્તે રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર, અભિષેકાત્મક લઘુરુદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બીલીપત્ર અને કાળા તલ અર્પણ કરી મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories