અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજાર ટ્રાફિકજામનું મુખ્ય કારણ, ઉદ્યોગ મંડળ દ્વારા કરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભરાય છે શનિવારી બજાર

Advertisment

શનિવારી બજારના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ

ઉદ્યોગો મંડળ દ્વારા લારી ગલ્લા અંદરથી ખસેડાયા

કોસમડી ગામની હદમાં ભરાય છે બજાર

આવનારા સમયમાં હાથ ધરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. જીઆઇડીસીના વિવિધ વિસ્તારો તેમજ સ્ટેટ હાઇવે પર શનિ અને રવિવારના રોજ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા અંદર ખસેડવામાં આવ્યા હતા.શનિવારી બજાર  કોસમડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખાનગી પ્લોટમાં ચાલે છે જેના કારણે  નોટિફાઇડ એરીયા ઓથોરીટીના હદ વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઉદ્યોગ મંડળ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે.

Advertisment
શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને લારી તેમજ કેબીનો ઉભી કરી દેવામાં આવે છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાય છે અને તેના કારણે અંકલેશ્વર તેમજ વાલીઓને જોડતા સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે વાહનચાલકો અટવાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે અત્યંત જરૂરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment