અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજાર ટ્રાફિકજામનું મુખ્ય કારણ, ઉદ્યોગ મંડળ દ્વારા કરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભરાય છે શનિવારી બજાર

શનિવારી બજારના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ

ઉદ્યોગો મંડળ દ્વારા લારી ગલ્લા અંદરથી ખસેડાયા

કોસમડી ગામની હદમાં ભરાય છે બજાર

આવનારા સમયમાં હાથ ધરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. જીઆઇડીસીના વિવિધ વિસ્તારો તેમજ સ્ટેટ હાઇવે પર શનિ અને રવિવારના રોજ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા અંદર ખસેડવામાં આવ્યા હતા.શનિવારી બજાર  કોસમડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખાનગી પ્લોટમાં ચાલે છે જેના કારણે  નોટિફાઇડ એરીયા ઓથોરીટીના હદ વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઉદ્યોગ મંડળ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને લારી તેમજ કેબીનો ઉભી કરી દેવામાં આવે છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાય છે અને તેના કારણે અંકલેશ્વર તેમજ વાલીઓને જોડતા સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે વાહનચાલકો અટવાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories