અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજાર ટ્રાફિકજામનું મુખ્ય કારણ, ઉદ્યોગ મંડળ દ્વારા કરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભરાય છે શનિવારી બજાર

શનિવારી બજારના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ

ઉદ્યોગો મંડળ દ્વારા લારી ગલ્લા અંદરથી ખસેડાયા

કોસમડી ગામની હદમાં ભરાય છે બજાર

આવનારા સમયમાં હાથ ધરાશે કડક કાર્યવાહી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ભરાતી શનિવારી બજારના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. જીઆઇડીસીના વિવિધ વિસ્તારો તેમજ સ્ટેટ હાઇવે પર શનિ અને રવિવારના રોજ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા અંદર ખસેડવામાં આવ્યા હતા.શનિવારી બજાર  કોસમડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખાનગી પ્લોટમાં ચાલે છે જેના કારણે  નોટિફાઇડ એરીયા ઓથોરીટીના હદ વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ઉદ્યોગ મંડળ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારી બજારમાં મુખ્ય માર્ગને અડીને લારી તેમજ કેબીનો ઉભી કરી દેવામાં આવે છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાય છે અને તેના કારણે અંકલેશ્વર તેમજ વાલીઓને જોડતા સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે વાહનચાલકો અટવાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે અત્યંત જરૂરી છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.