દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ18 લાખની કિંમતનું MD ડ્રગસ ઝડપાયું

ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 

New Update
  • ભરૂચ તાલુકા પોલીસને મળી સફળતા

  • ડ્રગસનો કાળો કારોબાર ઝડપી પાડ્યો

  • એક્સપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું

  • કારમાં કરવામાં આવતી હતી હેરાફેરી

  • રૂ.18 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી અનુસારની કાર આવતા તેને અટકાવી જડતી લેવામાં આવતા ઇલ્યાસઅલી હુસૈન મલેક , અશરફ બશીરભાઇ મુન્સી અને હનીફ રાજ કારમાંથી મળી આવ્યા હતા. વાહનની તલાસી દરમિયાન 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 18 લાખ રૂપિયા જેટલી થાય છે. ડ્રગસનો આ જથ્થો મુંબઈથી રવાના થયો હતો જેને ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો.
મામલામા રઉફ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીઓ ભરૂચના દેરોલ ગામના રહેવાસી છે જે પૈકી ઇલ્યાસભાઇ અલીહુસૈન મલેક નશીલા પદાર્થોના કારોબારના બે , બળાત્કારના એક  અને  મારામારીના એક ગુના મળી ૪ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે. એમડી ડ્રગ અને વાહન મળી ૨૨ લાખ રૂપિયાનો મૂદ્દામાલ કબ્જે કરી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શુંભેન્દુ ફૂલતરીયાને આગળની તપાસ સોંપવામાં આવી છે 
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.