દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ18 લાખની કિંમતનું MD ડ્રગસ ઝડપાયું

ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 

New Update
  • ભરૂચ તાલુકા પોલીસને મળી સફળતા

  • ડ્રગસનો કાળો કારોબાર ઝડપી પાડ્યો

  • એક્સપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું

  • કારમાં કરવામાં આવતી હતી હેરાફેરી

  • રૂ.18 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચમાં ડ્રગ્સની હેરફેરની કાવતરું ઝડપાયું છે. પોલીસે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી રૂ.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક હિસ્ટ્રીશીટર સાથે ત્રણ કેરિયરની ધરપકડ કરી છે જયારે એક ફરાર થઇ ગયો છે. 
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી અનુસારની કાર આવતા તેને અટકાવી જડતી લેવામાં આવતા ઇલ્યાસઅલી હુસૈન મલેક , અશરફ બશીરભાઇ મુન્સી અને હનીફ રાજ કારમાંથી મળી આવ્યા હતા. વાહનની તલાસી દરમિયાન 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 18 લાખ રૂપિયા જેટલી થાય છે. ડ્રગસનો આ જથ્થો મુંબઈથી રવાના થયો હતો જેને ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો.
મામલામા રઉફ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીઓ ભરૂચના દેરોલ ગામના રહેવાસી છે જે પૈકી ઇલ્યાસભાઇ અલીહુસૈન મલેક નશીલા પદાર્થોના કારોબારના બે , બળાત્કારના એક  અને  મારામારીના એક ગુના મળી ૪ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે. એમડી ડ્રગ અને વાહન મળી ૨૨ લાખ રૂપિયાનો મૂદ્દામાલ કબ્જે કરી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શુંભેન્દુ ફૂલતરીયાને આગળની તપાસ સોંપવામાં આવી છે 
Read the Next Article

અંકલેશ્વર : આશીર્વાદરૂપ આયુષ્યમાન વયવંદના સ્કીમ,ભડકોદ્રા ખાતે વડીલોના સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.

New Update
  • વયવંદના સ્કીમ હેઠળ યોજાયો કેમ્પ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું કરાયું આયોજન

  • વય વંદના કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

  • 125થી વધુ કાર્ડની કરાય નોંધણી

  • સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોયજે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છેતો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.

આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરીઘૂંટણ  અથવા થાપામાં દુખાવોમોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.

આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાન એલ.બી.પાંડેમગન પટેલભરત પટેલચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.