અંકલેશ્વર : આર્મીમાં નોકરી આપવાનું કહીને રૂ.7 લાખ પડાવી બંધક બનાવીને માર મારવાની ઘટનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

New Update
  • આર્મીમાં નોકરી આપવાનો મામલો

  • ભેજાબાજોએ રૂ.7 લાખ પડાવી લીધા

  • રૂપિયા પરત ન કરી રચ્યો હતો કારસો

  • ફરિયાદીને બંધક બનાવી માર્યો હતો માર

  • પોલીસે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ 

અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગીર સોમનાથના જગતીયા ગામના રાજદીપ મકવાણા ખેત મજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે. તેઓનો પરિચય  ખેતમજૂરી  ચિત્રાસર ગામના  રાજેશ ઉર્ફે રાજા બાબુભાઇ બામણીયા સાથે થયો હતો.સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઇ પરિચય વધ્યો હતો. તે દરમિયાન રાજેશ ઉર્ફે રાજાએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 7 લાખ રૂપિયાના વહીવટ કરવા જણાવ્યું હતું.જે સાંભળી રાજદીપ મકવાણા નોકરી મળવાની વાતને લઇ 7 લાખ રૂપિયા આપ્યા હતા.જો કે 2023માં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહિ મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી.જોકે તેઓને રૂપિયા પરત મળ્યા નહોતા.

ત્યાર બાદ ભેજાબાજોએ રાજદીપ મકવાણાને વડોદરાથી ભરૂચ ખાતે મળવા માટે બોલાવ્યા હતા. અને ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે મુલાકાત થઇ હતી.જોકે રૂપિયા પરત આપવાની બાબતે રાજદીપ મકવાણાને બંધક બનાવીને આરોપીઓએ માર માર્યો હતો. અને રાજદીપને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને તેની મંગેતરનું પણ ગળું દબાવતા તેની પણ બેભાન અવસ્થામાં ઢળી પડી હતી.અને ઝાડી ઝાંખરામાં આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા.અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આરોપીઓ સાથે ગયા હતા,અને માથામાં કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાની કેફિયત જણાવી હતી.અને રાજદીપને પોલીસ અન્ય કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણીયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી,અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.અને વધુ ત્રણ આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ,સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદર સિંઘ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.