અંકલેશ્વર : આર્મીમાં નોકરી આપવાનું કહીને રૂ.7 લાખ પડાવી બંધક બનાવીને માર મારવાની ઘટનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

New Update
  • આર્મીમાં નોકરી આપવાનો મામલો

  • ભેજાબાજોએ રૂ.7 લાખ પડાવી લીધા

  • રૂપિયા પરત ન કરી રચ્યો હતો કારસો

  • ફરિયાદીને બંધક બનાવી માર્યો હતો માર

  • પોલીસે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગીર સોમનાથના જગતીયા ગામના રાજદીપ મકવાણા ખેત મજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે. તેઓનો પરિચય  ખેતમજૂરી  ચિત્રાસર ગામના  રાજેશ ઉર્ફે રાજા બાબુભાઇ બામણીયા સાથે થયો હતો.સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઇ પરિચય વધ્યો હતો. તે દરમિયાન રાજેશ ઉર્ફે રાજાએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 7 લાખ રૂપિયાના વહીવટ કરવા જણાવ્યું હતું.જે સાંભળી રાજદીપ મકવાણા નોકરી મળવાની વાતને લઇ 7 લાખ રૂપિયા આપ્યા હતા.જો કે 2023માં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહિ મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી.જોકે તેઓને રૂપિયા પરત મળ્યા નહોતા.

ત્યાર બાદ ભેજાબાજોએ રાજદીપ મકવાણાને વડોદરાથી ભરૂચ ખાતે મળવા માટે બોલાવ્યા હતા. અને ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે મુલાકાત થઇ હતી.જોકે રૂપિયા પરત આપવાની બાબતે રાજદીપ મકવાણાને બંધક બનાવીને આરોપીઓએ માર માર્યો હતો. અને રાજદીપને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને તેની મંગેતરનું પણ ગળું દબાવતા તેની પણ બેભાન અવસ્થામાં ઢળી પડી હતી.અને ઝાડી ઝાંખરામાં આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા.અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આરોપીઓ સાથે ગયા હતા,અને માથામાં કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાની કેફિયત જણાવી હતી.અને રાજદીપને પોલીસ અન્ય કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણીયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી,અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.અને વધુ ત્રણ આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ,સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદર સિંઘ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: રૂંગટા વિદ્યાભવન ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું  ઉદ્ઘાટન, વિધ્યાર્થીઓમાં તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો ઉદેશ્ય

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન

  • મોડેલ યુનાઇટેડ નેશન્સનું આયોજન

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન- 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે  શ્રીજન પાલસિંહ  CEO – કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મહાનુભાવો દ્વારા Future Zone Booklet નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યો.કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગટાએ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો.