ભરૂચ: જંબુસર તાલુકાના ઉબેર ગામમાં પૂરના પાણીમાં તણાતા 100 થી વધુ પશુઓના મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પશુઓ પાણીમાં તણાઈ જતા પશુપાલકોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં પૂરના પાણી થી  સર્જાયેલી તારાજી ની દર્દનાક ઘટના સામે આવી હતી.જેમાં 100 થી વધુ પશુઓના પૂરના પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય પ્રાણીઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા પશુપાલકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.સર્જાયેલી ઘટનામાં ભરવાડ સમાજના 30 થી વધુ પરિવારોએ પોતાના ઢોર પૂર પ્રકોપમાં ગુમાવ્યા હતા.ભરવાડ અને કચ્છી સમાજના લોકો આ વિસ્તારમાં વધુ રહે છે,અને પશુપાલનનું કામ કરે છે.પરંતુ અચાનક સર્જાયેલી ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિમાં પાણી ભરાવાના કારણે અબોલ જીવો મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડી આવીને પશુપાલકોની વ્હારે આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.