ભરૂચ : ઝઘડિયામાંથી પસાર થતા SOU ને જોડતા માર્ગ પર ઉડતી ધુળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસેથી પસાર થતા SOU એકતાનગર માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો  ભારે હાલાકી વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ માર્ગ પર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે,જેને લઇ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.ધૂળની ડમરીઓ ઉડવાથી આ માર્ગ ધૂળીયો બન્યો છે.જેથી ખાસ કરીને બાઈક ચાલકો ની હાલત અત્યંત દયનીય બની છે, રોડ પર પુરવામાં આવેલા પથ્થરો આખા રોડ પર ફેલાયા છે,જે ઉડીને કોઈક વાહન ચાલકને વાગે તો અકસ્માત થઈ શકે છે, એક સાઈડનો માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે. તેથી કેટલાક વાહનચાલકો પોતાના વાહન રોંગ સાઈડ પર દોડાવવા માટે મજબૂર બન્યા છે.આ માર્ગના નવીનીકરણની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે.
Read the Next Article

ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની લંડન સફર બની અંતિમ, ડ્રોમાં નામ નિકળતા વર્કપરમીટ પર જઈ રહ્યો હતો ઇંગ્લેન્ડ

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના

  • જંબુસરના સારોદ ગામના યુવાનનું મોત

  • વર્કપરમીટ પર ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો

  • માતા અને મામા એરપોર્ટ મુકવા ગયા હતા

  • પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ 

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઇ આવ્યો છે. ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલાં ડ્રોમાં સાહિલનું નામ નીકળતાં તે વર્ક પરમીટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાનો થયો હતો. તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહયો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયાં હતાં.એરપોર્ટ સાહિલને મુકીને અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં ગયાં હતાં. સંબંધીને ત્યાં પહોંચ્યાં ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યાં હતાં જેના પગલે પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મૃતક ના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવીએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું

આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવાની માંગ કરી હતી.