અંકલેશ્વર : ભડકોદ્રા ખાતે "નમો કે નામ રક્તદાન"શિબિર યોજાઈ,75 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે

New Update
Blood Donation

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની રાગિણી સિનેમા ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખા ઉપસ્થિત રહ્યા હતા.

Bhadkodra Blood Donation

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રાની રાગિણી સિનેમા ખાતે  તાલુકા ભાજપ સંગઠન દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેંકના સહયોગથી 75 યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories