New Update
અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં તારીખ ૨૦.૦૭.૨૦૨૪ ને શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ફીડર ૨૨ કેવી ,ફીડર નંબર ૧ નુ મેન્ટેનન્સ હોવાથી હાંસોટ રોડ, સેફ્રોન પાછળ નો વિસ્તાર, દિવારોડ,ભરૂચીનાકા તથા જલારામ મંદિર ની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં વીજપુરવઠો સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.જ્યારે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થશે ત્યારે વીજ પુરવઠો રાબેતા મુજબ શરુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.જોકે વીજ પુરવઠો બંધ રહેતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડશે.
Latest Stories