New Update
અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં તારીખ ૨૦.૦૭.૨૦૨૪ ને શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ફીડર ૨૨ કેવી ,ફીડર નંબર ૧ નુ મેન્ટેનન્સ હોવાથી હાંસોટ રોડ, સેફ્રોન પાછળ નો વિસ્તાર, દિવારોડ,ભરૂચીનાકા તથા જલારામ મંદિર ની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં વીજપુરવઠો સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.જ્યારે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થશે ત્યારે વીજ પુરવઠો રાબેતા મુજબ શરુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.જોકે વીજ પુરવઠો બંધ રહેતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડશે.