આઝાદીના પર્વ નિમિત્તે અંકલેશ્વરની આ હોટલમાં મળશે માત્ર 78 રૂપિયામાં ભરપેટ ભોજન..!

સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.

author-image
By Connect Gujarat Desk
New Update

સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશેત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.

સ્વતંત્ર ભારતના 77 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છેજેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છેઅને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રિય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રતાના 78 વર્ષની ઉજવણી કરી રહ્યું છેત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લિફ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફર આપવામાં આવી છે.

જેમાં તા. 15મી ઓગષ્ટના રોજ ગ્રાહકોને માત્ર 78 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે. જેમાં પંજાબીસાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે. આ અંગે હોટલ સિલ્વર લિફના મેનેજર પ્રભાત ત્યાગીએ જણાવ્યુ હતું કેસમગ્ર દેશ આઝાદીના 78 વર્ષની ઉજવણી કરી રહ્યો છેત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.