આઝાદીના પર્વ નિમિત્તે અંકલેશ્વરની આ હોટલમાં મળશે માત્ર 78 રૂપિયામાં ભરપેટ ભોજન..!

સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.

author-image
By Connect Gujarat Desk
New Update

સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશેત્યારે તા. 15મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફમાં માત્ર 78 રૂપિયામાં વિવિધ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવશે.

સ્વતંત્ર ભારતના 77 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છેજેનો સમગ્ર દેશવાસીઓને ગર્વ છેઅને ઠેર ઠેર આ પર્વની માનભેર ઉજવણી કરવામાં આવશેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની હોટલ સિલ્વર લિફ દ્વારા રાષ્ટ્રિય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રતાના 78 વર્ષની ઉજવણી કરી રહ્યું છેત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ હોટલ સિલ્વર લિફ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ઓફર આપવામાં આવી છે.

જેમાં તા. 15મી ઓગષ્ટના રોજ ગ્રાહકોને માત્ર 78 રૂપિયામાં જમવાનું આપવામાં આવશે. જેમાં પંજાબીસાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ પીરસવામાં આવશે. આ અંગે હોટલ સિલ્વર લિફના મેનેજર પ્રભાત ત્યાગીએ જણાવ્યુ હતું કેસમગ્ર દેશ આઝાદીના 78 વર્ષની ઉજવણી કરી રહ્યો છેત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે