અંકલેશ્વર ઉમરવાડા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં બાંધી રાખેલી બે ગાયને પોલીસે મુક્ત કરાવી

પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો

New Update
Ankleshwar Police Raid

અંકલેશ્વરના ઉમરવાડા પાસે ઝાડી ઝાંખરામાં શંકાસ્પદ હાલતમાં ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલી બે ગાયોને પોલીસે મુક્ત કરાવી હતી. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સુરતી ભાગોળથી ઉમરવાડા ગુજરાત ગેસ ઓફિસ તરફ ઝાડી ઝાંખરામાં તપાસ કરી હતી,પોલીસ તપાસમાં અજાણ્યા ઈસમે બે ગાયને ક્રૂરતા પૂર્વક બાંધી રાખી હતી.

પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.