ભરૂચ : જંબુસરના જમીઅહ કિલૂમુલ કુરઆન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની પોલીસ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાય

 જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી

New Update
  • જંબુસરના જમીઅહ કિલૂમુલ કુરઆન ટ્રસ્ટનું આયોજન

  • ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા ખાતે કાર્યક્રમ યોજાયો

  • પોલીસ વિભાગ દ્વારા સંસ્થાની શુભેચ્છા મુલાકાત લેવાય

  • વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે સેતુબંધ રચવા આયોજન

  • જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત 

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "જમીઅહ કિલૂમુલ કુરઆન" ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની જંબુસર પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુબંધ રચાય તેમજ પોલીસ પ્રજાની વચ્ચે આવે અને લોકો પોલીસને મિત્ર માને તેવા સુંદર અભિગમ સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "જમીઅહ કિલૂમુલ કુરઆન" ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની જંબુસર પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક cના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત અતિથિનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપપ્રમુખ અને નાયબ મોહતમીન મુફ્તી અરસદ સાહેબે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાપ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

 જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણમોબાઈલ એપવિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભારવિધિ કરી ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment