ભરૂચ જિલ્લામાં ઉત્પાદન પ્રક્રિયાથી ધમધતી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમિકોની અછતથી પ્રોડક્શન ઠપ

ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.

New Update

ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.

ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતમાં કામદારોની મોટી અછત સર્જાઈ છે,દિવાળીનો પર્વ અને છઠ્ઠ પૂજાને કારણે ઉત્તર ભારતીય કામદારો માદરે વતનની વાટ પકડી છે.છઠ્ઠ પૂજાના પર્વને કારણે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતમાં કામદારોની મોટી ઘટ પડતા સ્થાનિક ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ભારતમાં દિવાળી પર્વની જેમ જ  છઠ્ઠ પૂજાનાં પર્વનુ ખૂબ જ મહાત્મય જોવા મળે છે.દેશભરમાં ધંધા-રોજગાર અર્થે વસતા પરપ્રાંતીય કામદારો છઠ્ઠ પૂજા સમયે માદરે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ કૂચ કરતા હોય છે.જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.
અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ સહિત જીઆઇડીસી વસાહતની વાત કરીએ તો ઉદ્યોગોમાં ફરજ બજાવતા અંદાજે 3 થી 4 લાખ જેટલા કામદારો પૈકી અડધોઅડધ કામદારો છઠ્ઠ પૂજા પર્વ નિમિત્તે વતન પહોંચી જતા હોય છે.દિવાળી અંતર્ગત વિવિધ પર્વની શરૂઆત થતાં જ ઉત્તર ભારતીય કામદારો સહ પરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે એક થી દોઢ મહિના બાદ પરત ધંધા-રોજગાર અર્થે આવતા હોય સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતોના મોટાભાગના કારખાનામાં પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે, પરિણામે આગામી  એક-દોઢ મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.માંડ માંડ થોડા મહિનાઓથી ઉદ્યોગજગતની ગાડી પાટે ચઢી હતી ત્યાં છઠ્ઠ  પૂજાને પગલે કામદારોનું મિની-વેકેશન ઉદ્યોગજગતની મુશ્કેલીઓ વધારશે તેમાં કોઈ જ બેમત નથી.આ ઉપરાંત જ્યારે કામદારોની ઉદ્યોગમાં વાપસી થશે ત્યારે વિદેશમાં ક્રિસમસ વેકેશનની શરૂઆત થશે જેની અસર પણ આયાત નિકાસ પર પડવાના કારણે ઉદ્યોગો માટે પડતા પાટું જેવો ઘાટ સર્જાશે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,

New Update
accident
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.